નવસારી જિલ્લાના મધ્યાહન ભોજન શાખાનાં અધિકારી અને ખેરગામ મામલતદાર કચેરીના મઘ્યાહન ભોજનનો હવાલો સંભાળતા શ્રીમતિ કૃતિકાબેન પટેલ દ્વારા શામળા ફળિયા પ્રાથમિક શાળાની સરપ્રાઈઝ વિઝીટ લેવામાં આવી. જેમાં મધ્યાહન ભોજનની લાગતી તમામ બાબતોની ઝીણવપૂર્વક તપાસ કરવામાં આવી. મેનુ પ્રમાણે મધ્યાહન ભોજન આપવામાં આવે છે? તમામ બાળકો મધ્યાહન ભોજનમાં ભાગ લે છે? દરેક શિક્ષકો મધ્યાહન ભોજનનો સ્વાદ ચેક કરે છે? મધ્યાહન ભોજનને લગતાં રજિસ્ટર નિભાવવામાં આવે છે? જેવી બાબતો ચકાસવામાં આવી હતી.